Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી

Broom Vastu Tips: સનાતમ ધર્મમાં વાસ્તુ શાસ્ર ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ઘરની દરેક વસ્તુનો સંબંધ વાસ્તુ શાસ્ત્ર સાથે હોય છે. જો વાસ્તુના નિયમોનું પાલન ન કરવામાં આવે છે તેની અસર પણ જોવા મળે છે. સાવરણી દરેક ઘરમાં હોય છે. હિંદુ ધર્મમાં તેનો સીધો સંબંધ ધનની દેવી માતા લક્ષ્મી, સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિ સાથે દર્શાવવામાં આવ્યો છે. આ કારણે સાવરણીનું વાસ્તુ શાસ્ત્ર ખૂબ જ જરૂરી હોય છે. આજે અમે તમને સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે જણાવીશું. 

કયા દિવસે સાવરણી ખરીદવી શુભ?

1/5
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવાર અથવા મંગળવારે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ભાગ્ય તમારો સાથ આપે છે. આ દિવસો સિવાય તમે ધનતેરસ અને દિવાળી પર પણ સાવરણી ખરીદી શકો છો. આ કારણે આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.

પંચકમાં ખરીદશો નહીં

2/5
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચકમાં સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પંચકનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સમયે કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. તેનાથી શુભ પરિણામ પણ મળતું નથી.

શનિવારે સાવરણી ખરીદવી અશુભ

3/5
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિવારે સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ નથી મળતો અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

સોમવાર પણ ટાળો

4/5
image

અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે પણ સાવરણી ખરીદવાનું ટાળવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસે સાવરણી ખરીદવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. આ સિવાય તમારે દેવાનો બોજ પણ ઉઠાવવો પડી શકે છે.

આ દિશામાં સાવરણી રાખવી શુભ

5/5
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ઘરની ઉત્તર-પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. આ સાથે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ જાળવી રાખે છે. આ સિવાય આર્થિક સમસ્યાઓ પણ દૂર રહે છે.